રમતગમત

શ્રીલંકા ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કરાયું બરખાસ્ત

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના ખરાબ પ્રદર્શનના કારણે શ્રીલંકા સરકારે સમગ્ર ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરી દેવામાં આવ્યું છે. શ્રીલંકાના ખેલ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી છે. જણાવી દઈએ કે શ્રીલંકાએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર 2 જ જીતી છે અને ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હાલમાં શ્રીલંકા વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે અને આજે દિલ્હીમાં તેનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. આ મેચ જીતીને શ્રીલંકા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવા માંગશે.

ભારતે છેલ્લી મેચમાં શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવતાં દેશમાં હોબાળો મચી ગયો હતો અને રમત મંત્રાલયે આ અંગે પસંદગીકારોને સવાલ-જવાબ પણ પૂછ્યા હતા. આ પહેલા ખેલ મંત્રી રોશન રણસિંઘેએ શુક્રવારે એક નિવેદનમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડને “દેશદ્રોહી અને ભ્રષ્ટ” ગણાવ્યું હતું. તેમણે બોર્ડના સભ્યોના રાજીનામાની માંગણી કરી હતી. શ્રીલંકા ક્રિકેટ સચિવ મોહન ડી સિલ્વા, બોર્ડના બીજા ક્રમના સર્વોચ્ચ અધિકારીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતાવાળી વચગાળાની સમિતિની રચના કરી હતી. રણતુંગાની સાથે સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જસ્ટિસનો પણ 7 સભ્યોની સમિતિમાં સમાવેશ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *