કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં 3 દિવસ, રાહુલ ગાંધી સભાને સંબોધિત કરશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધીની યાત્રા આજે સવારે બોડેલીના અલીપુર સર્કલથી શરૂ થઈને નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશશે. અહીંથી કેવડિયા અને પછી રાજપીપળાના આંબેડકર ચોક પહોંચશે. અહીં રાહુલ ગાંધી સભાને સંબોધશે. રાહુલ ગાંધી 10 માર્ચ સુધી ગુજરાતમાં લગભગ 400 કિમીનો પ્રવાસ કરશે.