ગાંધીનગર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ૨૪ જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે
ગાંધીનગર તા.૨૨ જુલાઈ –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંછુ ઉમેદવારોના લાભાર્થે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”-વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે તા. ૨૪/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા ૧૮ થી ૩૫ વર્ષ સુધીના કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ધો. ૧૦ પાસ, ધો. ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ તથા કોઈ પણ સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરી શકે છે. જેનું અનુબંધમ જોબફેર આઈ.ડી.: JF294506960 છે. ઉમેદવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.

