Uncategorizedરાષ્ટ્રીય

યુદ્ધના ભણકારા વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટેની ફ્લાઈટ બંધ કરી

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે ઉડ્ડયન ક્ષેત્રે ઉથલપાથલ છે. એક દિવસ પહેલા જ યુદ્ધના ભયને કારણે ઘણી એરલાઈન્સે ઈરાની એરસ્પેસને બદલે લાંબા રૂટ લેવાનું શરૂ કર્યું હતું. હવે દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાએ ઈઝરાયેલની આર્થિક રાજધાની તેલ અવીવની ફ્લાઈટ બંધ કરી દીધી છે. શનિવારે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ ગયા મહિને જ આ તેલ અવીવ શહેરની ફ્લાઈટ ફરી શરૂ કરી હતી, જે 7 ઓક્ટોબરે હમાસ પર ઈઝરાયેલના હુમલા બાદ બંધ કરવામાં આવી હતી. હવે પછીના આદેશ સુધી તેને ફરીથી બંધ કરી દેવામાં આવી છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ રવિવારે કહ્યું કે દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ આગળના આદેશો સુધી રદ કરવામાં આવી રહી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયાની દિલ્હી અને તેલ અવીવ વચ્ચે સાપ્તાહિક ફ્લાઈટ છે. આ ફ્લાઈટ લગભગ 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે જ શરૂ થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x