ગાંધીનગરગુજરાત

સાદરા ગામમાં શ્રીમદ્‌ દેવિભાગવત કથાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે લાભ

ગાંધીનગર જિલ્લામાં સાદરાના જક્ષણી ધામ ખાતે પવિત્ર ચૈત્ર નવરાત્રિ દરમિયાન શ્રીમદ્‌ દેવિભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો સાદરા ગામ તથા આસપાસના ગામોની ધર્મપ્રેમી જનતા લાભ રહી છે. આ શ્રીમદ્‌ દેવિભાગવત કથાનું શ્રી જક્ષણી આનંદ ગરબા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય જીતુ ભગત બાપજી તથા પૂ. મુક્તેશ્વરી દીદી ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. નોંધનીય છે કે, સાદરા ગામમાં અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ સેવા આપવાના હેતુથી આ સેવાકાર્યો કરાઇ રહ્યા છે અને લોકો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x