ગુજરાત

ગાઝીપુર લેન્ડફિલમાં આગ લાગતાં લોકોને શ્વાસ લેવામાં પડી ભારે તકલીફ 

રવિવારના રોજ દિલ્હી સ્થિત ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી આગ હજુ સુધી ઓલવાઈ નથી. અહીં વરસાદ થયો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. અહીં જીવલેણ ધુમાડાથી લોકોને શ્વાસ લેવાની સાથે આંખોમાં બળતરાની સમસ્યા થઈ રહી છે. હાલ પણ સાઈટ પર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર આગની ઘટના બાદ નજીકના ખોડા, મયૂર વિહારના લોકોને શ્વાસ લેવામાં તેમજ આંખોમાં બળતરાની સમસ્યા થઈ રહી છે. દિલ્હી ફાયર સર્વિસિઝનું કહેવું છે કે, આગ લેન્ડફિલમાં ઉત્પન્ન થયેલ ગેસના કારણે લાગી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.ગાઝીપુરમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, ‘હું અહીંયા રહું છું અને ધુમાડાથી આંખોમાં પરેશાની થઈ રહી છે. અમને શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ થઈ રહી છે. સમગ્ર કોલોની પરેશાન છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x