રાષ્ટ્રીય

છત્તિસગઢમાં કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા પરિવાર ને નડ્યો અકસ્માત, 8 લોકોના મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત

છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. તેમજ 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ બાળકો નો પણ સમાવેશ થયેલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દયનીય ઘટના રવિવારે મોડી રાત્રે કાઠીયા ગામ પાસે બની હતી જ્યારે એક પરિવાર એક ફંકશન માંથી ઘરે પરત ફરી રહ્યો હતો. તેમનું વાહન રસ્તાની બાજુમાં ઊભેલી મિની ટ્રક સાથે અથડાયું હતું. પીડિતો પથરા ગામના રહેવાસી હતા અને તિરૈયા ગામમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x