ગુજરાત

ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત

ભાવનગર :

ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. ઘટના સાડા રતનપર ગામની છે કે, જ્યાં 10 જેટલા લોકો નદીમાં નહાવા માટે પડ્યા હતા. જે દરમિયાન એક બાળક નદીમાં ડૂબવા લાગ્યા હતા. એક બાદ એક એમ અન્ય ચાર લોકો તેને બચાવવા ગયા અને તેઓ પણ નદીમાં ડૂબી ગયા. એક આધેડ, બે યુવતીઓ, એક યુવક તેમજ એક 13 વર્ષના બાળક સહિત કૂલ પાંચ લોકો નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતક દેવીપૂજક સમાજના અને કૌટુંબિક સગા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x