રાષ્ટ્રીય

PM Modi આજે મહાકુંભ પહોંચી સંગમમાં પવિત્ર સ્નાન કરશે

PM Modi આજે પ્રયાગરાજની મુલાકાત દરમિયાન Mahakumbhમાં પહોંચશે અને સંગમમાં પવિત્ર સ્નાન કરશે. તમને જણાવી દઈએ કે, PM મોદીની મુલાકાત પહેલા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG એ જવાબદારી સંભાળી લીધી છે. આ ઉપરાંત હવાઈ, જળ અને માર્ગ કાફલાના રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x