ahemdabadગાંધીનગર

27 એપ્રિલથી અમદાવાદ મેટ્રો સેવા સચિવાલય સુધી લંબાવવામાં આવશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રો સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે. આ સાથે, નીચેના નવા સાત સ્ટેશનો કાર્યરત થશે: કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ અને સચિવાલય. ટ્રેનના સમય અંગેની વધુ માહિતી GMRCની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે. આ વિસ્તરણથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી વધુ સરળ બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x