ગાંધીનગરગુજરાત

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ, રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

આ યોજના અંતર્ગત, PMJAY-મા યોજનાના ‘G’ કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂપિયા ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મયોગીઓને મળવાપાત્ર બનશે. આરોગ્ય વિભાગે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા બહાર પાડી છે.

યોજનાનો લાભ મેળવવા માટે PMJAY યોજનાનું કાર્ડ હોવું ફરજિયાત છે, જેની ફાળવણીની જવાબદારી STATE HEALTH AGENCY (SHA) ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ મુજબ અને AIS અધિકારીઓ માટે AIS (Medical Attendance) Rules, ૧૯૫૪ મુજબ કુટુંબની વ્યાખ્યામાં આવતા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ યોજના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત સમાન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x