વિશ્વ પર્યાવરણ દિવસે દહેગામમાં ‘ચકલી ઘર’ વિતરણ
દહેગામ, ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, દહેગામના સ્વામીનારાયણ ટેનામેન્ટમાં “ઘેર ઘેર ચકલી ઘર” વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એન્વાયરોનમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત કરાયો હતો અને ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર દ્વારા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધર્મેશ ગજ્જર, જેઓ એક ઉત્કૃષ્ટ શિક્ષક અને પર્યાવરણ સંરક્ષક તરીકે જાણીતા છે, તેમને અગાઉ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનો “પર્યાવરણ શિક્ષક એવોર્ડ” જ્ઞાન લાઈવ એકેડમી અને અર્લી બર્ડ દ્વારા એનાયત કરાયો છે. આ “ચકલી ઘર” વિતરણનો હેતુ પર્યાવરણ સંરક્ષણ અને લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. ધર્મેશ ગજ્જરનું આ કાર્ય પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.