ગુજરાતરાષ્ટ્રીય

દેશમાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૩૯૧ નવા કેસ, ૪ મૃત્યુ

નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૩૯૧ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૪ લોકોના મોત થયા છે. આ સાથે, દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૫,૭૫૫ થઈ ગઈ છે. નિષ્ણાતોએ નાગરિકોને સતર્ક રહેવા અને માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા જેવી સાવચેતીઓ પાળવા પર ભાર મૂક્યો છે.

રાજ્યવાર આંકડા જોઈએ તો, મહારાષ્ટ્રમાં ૧૧૪ નવા કેસ અને એક મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક ૧૮ થયો છે. કેરળમાં ૧૯૨ નવા કેસ, પશ્ચિમ બંગાળમાં ૫૮, અને દિલ્હીમાં ૩૦ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ નવા કેસ સામે આવ્યા છે, જેનાથી રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૭૧૭ થઈ છે. સદનસીબે, ગુજરાતમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી, અને ૬૮ દર્દીઓ સાજા થયા છે. હાલ ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ૬૯૪ હોમ આઈસોલેશનમાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *