GTU ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે ‘કાઉએગ્રીટેક 2025’: પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ
અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), ચાંદખેડા ખાતે કાઉએગ્રીટેક ૨૦૨૫ સ્ટાર્ટઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ, ઇન્ચાર્જ કુલપતિ, શ્રી ગોપાલભાઈ સુતરીયા (બંસી ગૌશાળા, અમદાવાદ) અને ગાય તથા તેની પ્રોડક્ટ્સ સંબંધિત સંસ્થાના પીએચડી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સવારથી સાંજ સુધી ચાલેલા આ વર્કશોપમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ગાંધીનગરના પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ (મોડેલ ફાર્મ), શિહોલી મોટી, ગાંધીનગરના પ્રતિનિધિઓએ હાજર રહીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશે સમજણ આપી. તેમના ફાર્મના ઉત્પાદનોનો સ્ટોલ પણ અહીં ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી પણ ખેડૂતોએ પોતાના સ્ટોલ લગાવીને દેશી ગાય આધારિત ઉત્પાદનો અને પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જે પ્રાકૃતિક ખેતી પ્રત્યે તેમની રુચિ દર્શાવે છે.