આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

Axiom-4 મિશનમાં ટેકનિકલ ખામી સર્જાતાં હાલ શુભાંશુ શુક્લાની અંતરિક્ષ યાત્રા મુલતવી

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને ISS પર મોકલવાના Axiom-4 મિશનને ટેકનિકલ ખામીના કારણે ફરીથી મુલતવી રાખવામાં આવ્યું છે. બુધવારે સાંજે લોન્ચ થનાર આ મિશનને ‘સ્ટેટિક ફાયર’ ટેસ્ટિંગ પછી લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ જોવા મળતા અટકાવી દેવામાં આવ્યું છે.

સ્પેસએક્સે X પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ફાલ્કન ૯ રોકેટમાં જોવા મળેલી ખામીને દૂર કરવા માટે લોન્ચિંગને મુલતવી રખાયું છે. કંપનીએ ઉમેર્યું કે, સમારકામ પૂર્ણ થયા બાદ અને રેન્જ ઉપલબ્ધતાના આધારે નવી લોન્ચ તારીખ જાહેર કરવામાં આવશે. આ મિશનમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષ યાત્રીઓ પણ જોડાવાના હતા. આ વિલંબ છતાં, સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *