ahemdabadગુજરાત

સરકારની અપીલ: કોરોના કેસ વધતા જગન્નાથ યાત્રામાં વૃદ્ધો અને દર્દીઓ ભીડ ટાળે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત થઈ રહેલા વધારા અને આગામી જગન્નાથ રથયાત્રાને લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, શરદી-ખાંસીના લક્ષણો ધરાવનારા, કોમોર્બિડ દર્દીઓ અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ અને ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બીમાર લોકોએ તો ભીડમાં જવું જ ન જોઈએ.

ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી કે, રાજ્યમાં હાલ રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને કોઈ ‘લહેર’ કે ‘સુનામી’ કહી શકાય નહીં. તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે કેસો વધી રહ્યા છે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાનો વર્તમાન વેરિઅન્ટ ઘાતક નથી. છેલ્લા ૨૫ દિવસથી કેસ વધ્યા છે, પરંતુ જીવનું જોખમ નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર શરૂ કરવી જોઈએ અને સામાન્ય લક્ષણો ધરાવતા લોકોએ ક્વોરન્ટાઇન થઈને સાવચેતી રાખવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *