ગુજરાત

વિમાન દુર્ઘટનાના ભય વચ્ચે રાજકોટમાં જીવ અધ્ધર કરતું લેન્ડિંગ, સુરતમાં ફ્લાઇટ ટેકઓફ ન થઈ

રાજકોટ/સુરત: અમદાવાદમાં તાજેતરમાં બનેલી ભયાવહ વિમાન દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તો શુક્રવારે વિમાન સેવાને લગતી બે અલગ-અલગ ઘટનાઓએ મુસાફરોને ફફડાવી દીધા હતા. સુરત એરપોર્ટ પર બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટ ખામી સર્જાતા એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી.

જ્યારે, રાજકોટના હીરાસર એરપોર્ટ પર એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટ આવી રહેલી ફ્લાઇટને ત્રીજા પ્રયત્ને લેન્ડિંગ કરવું પડ્યું હતું, જેના કારણે તેમાં સવાર ૧૦૦થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાંજે ૬:૨૯ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરેલી આ ફ્લાઇટ ૭:૫૦ વાગ્યે રાજકોટ લેન્ડ થવાની હતી. જોકે, પાયલટને એલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગતા ફ્લાઇટે હવામાં બે ચક્કર લગાવવા પડ્યા હતા. પાયલટે બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વખત રન-વેને ટચ કરીને ફરી ઉડાન ભરી લીધી હતી. ત્રીજા પ્રયત્ને સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો અને ભગવાનનો આભાર માન્યો.

ઉલ્લેખનીય છે કે વિમાનમાં કોઈ ટેક્નિકલ ક્ષતિ નહોતી, પરંતુ માત્ર એલાઇમેન્ટમાં સમય લાગ્યો હતો. જોકે, અમદાવાદ દુર્ઘટનાની યાદો તાજી થતાં મુસાફરોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *