G7 સમિટ: વડાપ્રધાન મોદીની કેનેડા મુલાકાત કેમ ખાસ ?
વડાપ્રધાન મોદી G7 સમિટમાં કેનેડા પહોંચ્યા
નવા PM સાથે સંબંધ સુધારવા પર ભાર
‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમ વિદેશ પ્રવાસ
ઓટાવા, કેનેડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચી ચૂક્યા છે. સાયપ્રસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ કેનેડા આવ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે મહત્વનો માનવામાં આવે છે, ખાસ કરીને કેનેડા સાથેના ભારતના બગડેલા સંબંધો સુધારવા પર તેમાં ભાર મૂકવામાં આવશે.
વડાપ્રધાન મોદી સમિટ દરમિયાન ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રો, જાપાનના શિગેરુ ઇશિબા અને ઓસ્ટ્રેલિયાના એન્થની અલ્બેનીઝ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. તેઓ આ નેતાઓને આતંકવાદ સામે ભારતના વલણને સમર્થન આપવા બદલ આભાર માનશે અને પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરશે.
સૌથી અગત્યની મુલાકાત કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની રહેશે. ૨૦૨૩માં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા આ મુલાકાત નિર્ણાયક બની શકે છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હોવાથી, કૂટનીતિક દ્રષ્ટિએ પણ તે ઘણો મહત્વનો છે. તેઓ આતંકવાદ ઉપરાંત જળવાયુ પરિવર્તન, ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે