આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

વડાપ્રધાન મોદી G7 સમિટમાં કેનેડા પહોંચ્યા: માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ભાર

કનાનાસ્કિસ, કેનેડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચાર-દિવસીય વિદેશ પ્રવાસના ભાગરૂપે સાયપ્રસની મુલાકાત બાદ ૫૧મા G7 શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના અલ્બર્ટા સ્થિત કનાનાસ્કિસ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કર્યું હતું. પીએમ મોદીએ G7માં ભારતને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને ૨૦૧૫ પછી ફરી કેનેડા આવવાનો અવસર મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો.

શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ, કોરિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી. માર્ક કાર્ની સાથેની તેમની બેઠક ખાસ રહી. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, બંને નેતાઓએ નાગરિકો અને વ્યવસાયિક સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે નવા ઉચ્ચાયુક્તોની નિમણૂક પર સહમતિ દર્શાવી. તેમણે મજબૂત ઐતિહાસિક સંબંધો, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભાગીદારી, વાણિજ્યિક સંબંધો, આર્થિક વૃદ્ધિ અને ઊર્જા સંક્રમણમાં સહયોગ પર ચર્ચા કરી.

કેનેડાની યાત્રા સમાપ્ત કરીને વડાપ્રધાન મોદી હવે ક્રોએશિયાના જાગ્રેબ જવા રવાના થયા છે. આ પહેલા તેમણે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે પણ વાતચીત કરી, જેની માહિતી તેમણે X (અગાઉ ટ્વિટર) પર આપી હતી કે, ભારત અને જાપાન અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે તૈયાર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *