અમદાવાદ વિમાન દુર્ઘટના: વિદ્યુત સમસ્યા પ્રાથમિક કારણ? બ્લેક બોક્સની તપાસ જ reveal કરશે
અમદાવાદ: અમદાવાદમાં થયેલી AI 171 વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પાવર ફેલ્યોર અથવા કોઈ વિદ્યુત સમસ્યા હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. UK Air Accident Investigation Branch (AAIB) આ ઘટનાની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અને ઘટનાસ્થળના પુરાવા સૂચવે છે કે ટેક-ઓફની થોડી જ ક્ષણોમાં વિમાનની મુખ્ય વિદ્યુત પ્રણાલીમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે, સાચું કારણ બ્લેક બોક્સ ડેટા મળ્યા પછી જ જાણી શકાશે. બ્લેક બોક્સ અને ડીવીઆર મળી ગયા છે, પરંતુ તેમને નુકસાન થયું હોવાથી ડેટા મેળવવામાં સમય લાગી રહ્યો છે. આ બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા મોકલવાની ચર્ચાઓ છે.
તપાસ અધિકારીઓએ જણાવ્યું કે કોકપીટમાં કોઈ ખલેલના સંકેતો મળ્યા નથી, અને પાયલોટે વિમાનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ૫ સેકન્ડનો ઓડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. ૭૮૭ ડ્રીમલાઇનરમાં મેન્યુઅલ રિવર્ઝન કંટ્રોલ સિસ્ટમ હોવા છતાં, વિમાન પૂરતી ઊંચાઈ મેળવી શક્યું ન હતું. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે ડ્રીમલાઇનર એક એન્જિન પર પણ ઉડી શકે છે, જેથી સમગ્ર તપાસ બ્લેક બોક્સ ડેટા પર કેન્દ્રિત છે.