ગુજરાત

મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની અટકાયત

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ ભરૂચ એલસીબી તેમના પુત્ર દિગ્વિજયની અટકાયત કરી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિગ્વિજય સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ભરૂચ પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કર્યા બાદ તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ હાંસોટ તા.પં.ના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *