રાષ્ટ્રીય

રાજકારણમાં સ્વચ્છતા: ગંભીર ગુનાવાળા મંત્રીઓને પદ પરથી હટાવવા કેન્દ્ર 3 નવા બિલ લાવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રાજકારણમાં સ્વચ્છતા લાવવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. બુધવારે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને રાજ્યના મંત્રીઓને ગંભીર ગુનાઈત કેસોમાં ધરપકડ અથવા અટકાયત બાદ તેમના પદ પરથી દૂર કરવાનો છે. હાલમાં ભારતીય કાયદામાં આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.

આ ત્રણ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, બંધારણ (એકસો ત્રીસમું સંશોધન) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025નો સમાવેશ થાય છે. આ બિલ રજૂ કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરશે.

નવી જોગવાઈ અનુસાર, જો કોઈ મંત્રી (વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત) ને પાંચ વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેવા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. આ બિલનો ઉદ્દેશ્ય એ છે કે સત્તા પર બેઠેલા નેતાઓ પણ કાયદાથી ઉપર નથી અને તેમને ગંભીર ગુનાઈત આરોપોમાંથી મુક્તિ મળશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *