આહીર યુવા ફોરમ – ગાંધીનગર દ્વારા આહીર પરિવારનાં તેજસ્વી તારલાઓનો ૨૫મો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે
ગાંધીનગર :
ગાંધીનગરમાં ૧૯૯૯ થી કાર્યરત પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની ૨૭ વર્ષથી કાર્યરત સંસ્થા આહીર યુવા ફોરમ-ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ ૧૪ માર્ચ ૨૦૨૬ ને શનિવારના રોજ ટાઉન હોલ ખાતે ગાંધીનગર શહેરમાં વસતા આહીર પરિવારનાં તેજસ્વી તારલાઓનો ૨૫ મો સરસ્વતી સન્માન સમારંભ યોજાશે. આ સમારંભની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રા.ક.મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ આહીર સમાજ ના માન.ધારાસભ્શ્રીઓ સર્વે શ્રી મુળુભાઈ બેરા, શ્રી ભગવાનભાઈ બારડ, શ્રી ઉદયભાઈ કાનગડ તેમજ શ્રી હેમંત ખવા ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની શરૂઆત સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કર્યા બાદ કરાશે. ત્યારબાદ ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓનું શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. સમાજનાં દરેક વિધાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હોય અથવા તેના વાલીનું રહેઠાણ/નોકરી ગાંધીનગરમાં હોય તેવા ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થી માટે ઓછામાં ઓછા ૭૦% અને યુનિ/કોલેજ કક્ષાએ ડિગ્રી/ડિપ્લોમાં માટે ઓછામાં ઓછા ૫૫% હોય તેવા વિધાર્થીઓએ તા. ૮ મી માર્ચ ૨૦૨૬ ના રોજ રાત્રે ૮:૦૦ કલાક સુધીમાં પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ આહીર વિદ્યાર્થી ભવન, સે -૧૫, ગાંધીનગર ખાતે રાખેલ લોક & કી બોક્ષમાં નિર્ધારિત સમય દરમ્યાન જમા કરાવશો ત્યારબાદ મળેલ માર્કશીટ કોઈપણ સંજોગોમાં માન્ય ગણવામાં નહીં આવે તેવુ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

