ગુજરાતરાષ્ટ્રીય

પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની મુલાકાતે

નર્મદા:

પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડાએ વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ની મુલાકાત લીધી હતી. દરમિયાન સરદાર પટેલના કાર્યોથી પ્રભાવિત દેવેગૌડાએ જણાવ્યું હતું કે, આ મારી કોઈ રાજકીય મુલાકાત નથી. સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યો છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ૧૯૯૬માં સરદાર વલ્લભભાઈ પટેલના ગામની મુલાકાતે વડા પ્રધાન પદે હતો ત્યારે આવ્યો હતો. આ સ્ટેચ્યુ આજની અને ભવિષ્યની પેઢીને દેશની એક્તા અને અખંડિતતામાં સરદાર પટેલના યોગદાનને યાદ અપાવતું રહેશે. સરદાર પટેલે દેશ માટે જે યોગદાન આપ્યું છે તે અમૂલ્ય છે.

આજે સરદાર પટેલના નામનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરાઈ રહ્યો છે તે ઉચિત નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી છે તે સરદાર પટેલના દેશ માટે આપેલા વિરાટ યોગદાન સામે કશું જ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજે એક્તાનું પ્રતીક બની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x