જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૭ જુલાઈનાં રોજ માણસા ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે માટે તા.૧૭/૦૭/૨૦૨૬નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, પેટા તિજોરી કચેરીની બાજુમાં, માણસા ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ તથા કોઈ પણ સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF866242579 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકે છે, આ અંગે વધુ માહિતી માટે ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકો છો.તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

