ગાંધીનગર

ગાંધીનગરમાં રોજગાર ભરતીમેળા’નું આયોજન

ગાંધીનગર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે આગામી તા. ૨૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. દહેગામ, સિવિલ કોર્ટની સામે, દહેગામ ખાતે ‘રોજગાર ભરતીમેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કૌશલ ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.જેમા ધો. ૧૦ પાસ, ધો. ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તથા કોઈપણ શાખાના સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઈચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતીમેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી. JF911901485 છે. ભરતીમેળામાં ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. જેમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ હોય તેમજ નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *