ગાંધીનગર

નેપાળમાં આવેલા પૂર બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ અંગે હેલ્પ લાઈન જાહેર કરાઈ

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા મળેલ સૂચના અનુસાર, નેપાળમાં તાજેતરમાં આવેલા અચાનક પૂર હોનારત બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ સ્થાપિત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુમ થયેલા નાગરિકોના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓના DNA પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સંદર્ભે ભારતીય એમ્બેસી (કાઠમંડુ) દ્વારા મદદ અને માહિતી માટે ખાસ હેલ્પલાઇન નંબર: +977 9841 6160 95 જાહેર કરવામાં આવ્યો છે. આથી, ગાંધીનગર જિલ્લાના જે પણ પરિવારજનો/નાગરિકો નેપાળની આ હોનારતમાં ગુમ થયેલા હોય, તેમના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓને આ વિગતો ધ્યાને લઈ જરૂરી પ્રક્રિયા અને સહયોગ માટે આ માહિતીનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે.    ગુમ થયેલ મૃતકોની ઓળખ વિશે આવશ્યક માહિતી માટે વિદેશ મંત્રાલય/ભારતીય એમ્બેસી કાઠમંડુની વેબસાઇટ https://www.indembkathmandu.gov.in/media-detail/960 ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે સ્ટેટ કંટ્રોલ રૂમ ફોન નંબર: 079 232 51900 તથા મો.નં: 99784 05304 અને ઈ-મેલ: revcontrol1@gujarat.gov.in પર પણ સંપર્ક કરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *