ગાંધીનગરગુજરાત

પરેશ ધાનાણી ના પ્રયાસે થી અમરેલી-કુંકાવાવ તાલુકાના રોડ-રસ્તાના રૂ. ૩૫૭ લાખના કામો મંજૂર

ગાંધીનગર
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રયાસના પરિણામસ્વરૂપ અમરેલી – કુંકાવાવ તાલુકાના રોડ – રસ્તાના રૂ. ૩૫૭ લાખના કામો મંજૂર. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સમગ્ર રાજય અને ખાસ કરીને પોતાના વિધાનસભા મતવિસ્તાર અમરેલી – કુંકાવાવના સવાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ અમરેલી અને કંકાવાવ તાલુકાના રોડ- રસ્તાના કામો માટે સરકારમાં લેખિતમાં રજૂઆત કરેલ હતી. જેના પરિણામ સ્વરૂપ ૭ તથા ૧૦ વર્ષથી વધુ સમયથી બાકી હોય તેવા રસ્તાઓ તથા કોઝવેથી પુલ બનાવવાના રૂ. ૩૫૭ લાખના રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામો મંજૂર કરી જોબ નંબર આપવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x