રાષ્ટ્રીય

ઉન્નાવ દુષ્કર્મ મામલે સેંગરને ઉમ્ર કેદની સજા, પીડિતાને 25 લાખનું વળતર ચૂકવવાનું રહેશે

નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં નાબાલિગ સાથે દુષ્કર્મ કેસમાં દોષી જાહેર કરાયેલા ભાજપના હાંકી કાઢેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું છે કે કુલદીપ સેંગર તેમના મૃત્યુ સુધી જેલમાં રહેશે. આ સાથે કુલદીપ સેંગરે પીડિતાને 25 લાખનું વળતર ચૂકવવાનું રહેશે.
સોમવારે આ કેસમાં, દિલ્હીની ટીસ હજારી કોર્ટે ધારાસભ્યને સગીર પર બળાત્કાર ગુજાર્યાનો દોષી ઠેરવ્યો હતો. મંગળવારે સજા અંગેની ચર્ચા પૂર્ણ ન થતાં કોર્ટે 20 ડિસેમ્બરની સજા પર ચર્ચા માટે તારીખ નક્કી કરી હતી.
સેંગરને સજા કરતી વખતે કોર્ટે શું કહ્યું- સેન્ગરને એક મહિનાની અંદર દંડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.અમને કોઈ સ્થિતિ નરમાઈ બતાવતા દેખાઈ નહીં, સેંગર એક જાહેર સેવક હતો, તેણે લોકો સાથે દગો કર્યો.
કોર્ટે સીબીઆઈને પીડિતા અને તેના પરિવારની સલામતી વધારવા અને સલામત મકાનો આપવા આદેશ આપ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x