ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, નવા કેસ 949 અને કુલ 46,516 કેસ

અમદાવાદ :
રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સતત પાંચમા દિવસે 900થી વધુ એટલે 949 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 770 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ 9 દિવસ બાદ ફરી 17 મૃત્યુ નોંધાયા છે. આ પહેલા 7 જુલાઈના રોજ 17 દર્દીના મોત થયા હતા. અત્યાર સુધીમાં કુલ 46,516 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2,108 એ પહોંચ્યો છે. તેમજ 32,944 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કુલ 11, 464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વેન્ટિલેટર પર છે અને 11,393 દર્દીઓની હાલત સ્થિર છે.

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરત-234, અમદાવાદ-184, વડોદરા-77, રાજકોટ-48, ભરૂચ-47, ભાવનગર-44, જૂનાગઢ-33, ગાંધીનગર-32, નવસારી-30, મહેસાણા-21, ખેડા-21, વલસાડ-17, જામનગર-16, દાહોદ, પાટણ-15, કચ્છમાં-15, ગીર સોમનાથ-13, સુરેન્દ્રનગર-13, સાબરકાંઠા-12, બનાસકાંઠા-11, પંચમહાલ-10, આણંદ-8, મોરબી-5, તાપી-5, બોટાદ-4, મહિસાગર-3, અમરેલી-3, છોટાઉદેપુર-1, દેવભૂમિ દ્વારકા-1 અને નર્મદામાં-1 નવા કેસ સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x