ગાંધીનગરગુજરાત

CM રૂપાણીએ ગાંધીનગરમાં કર્યુ ધ્વજ વંદન, જાણો શું આપ્યો રાજ્યને સંદેશ

ગાંધીનગર :
આજે દેશના 74માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો. કોરોનાના કપરાકાળમાં સીએમ રૂપાણીએ કોરોના વૉરિયર્સની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યવાસીઓએ કોરોનાને દેશવટો અને રાજ્યવટો આપવા માટે આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.
ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થઈ. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય તમામ મહત્ત્વપૂર્ણ મહાનુભાવોએ ઝંડાને સલામી આપી હતી. સીએમ રૂપાણીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓના વખાણ કર્યા. ગુજરાત સરકારે ઉપલબ્ધ કરેલી ઉપલબ્ધીઓની તેમણે પ્રસંશા કરી અને તમામ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કોરોના વૉરિયર્સનું ખાસ સન્માન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે પોતાની જાતની પરવાહ કર્યા વગર જે રાજ્યની સેવા કરી રહ્યા છે. તેઓ ફ્રન્ટલાઇન વૉરિયર્સ મુખ્યમંત્રીએ નમન કરી બિરદાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x