ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ધોરણ 9 થી 12માં 30% MCQ પુછાશે : શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર :

રાજ્યમાં ધોરણ 9, 10, 11 અને 12માં પરીક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધી 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (MCQ) પુછાશે. જોકે આ જાહેરાત દરમિયાન ફી મુદ્દે શિક્ષણમંત્રીએ મગનું નામ મરી પાડ્યું ન હતુ.

રાજ્યના શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ધોરણ 9, 10, 11 અને 12માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે, જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થશે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે એવો દાવો રાજ્યના શિક્ષણમંત્રીએ કર્યો છે. રાજ્યમાં કોરોના કાબૂમાં આવતાં ચાર મહિના અગાઉ ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કરાઈ હતી. ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x