ગુજરાત

રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

ગૃહવિભાગે આ માટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ૮ શહેરોમાં તમામ દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ,માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજારને 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ 8 મહાનગરોમાં કરફ્યૂનો સમય વધાર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર માટે આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે.આ જાહેરનામું 31 ડિસેમ્બર 2021 સુધી યથાવત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x