ગુજરાત

ગુજરાતમાં કોરોના ત્રાટક્યું, આ શહેરમાં 2023નું પ્રથમ મોત નોંધાયું

ગુજરાતમાં ફરી કોરોના ફેલાયો છે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતાં જ લોકોમાં ફરી ભય ફેલાયો છે. સુરતમાં અઢી મહિના બાદ કોરોનાથી મોતનો કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાથી 2023માં પ્રથમ મોતના સમાચાર આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારની 60 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. સુરતના કાપોદ્રા વિસ્તારના 60 વર્ષના વૃદ્ધને કોરોના થયો છે. વૃદ્ધાને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેના પગમાં પણ સોજો આવી ગયો હતો. ત્યારબાદ પરિવારના સાતેય સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. પરિવારના 15 સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. જેમાં જીનોમ સિક્વન્સીંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

ખાસ વાત એ છે કે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા સત્તાવાર રીતે 136 તરીકે જણાવવામાં આવી છે. તે જ સમયે, રાજ્યમાં 2 દર્દીઓની સ્થિતિ નાજુક છે અને તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.
સુરતમાં H3N2 કેસમાં વધારો થયો છે. 30 દિવસથી લોકો શરદી અને ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 400 વાઇરલ ઇન્ફેક્શનના કેસ આવી રહ્યા છે. જેમાંથી 10 ટકા દર્દીઓ દાખલ થયા છે. આ દર્દીઓમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા છે. જો H3N2 વાયરસ ફેફસામાં ચેપ લગાડે છે, તો તે જીવલેણ બની શકે છે. શંકાસ્પદ ઈન્ફલ્યુએન્ઝા H3N2 લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x