રાષ્ટ્રીય

દેશમાં વધુ રૂટો પર દોડી શકે છે વંદે ભારત ટ્રેન

દક્ષિણ મધ્ય રેલવે હેઠળ ચાર વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. એવી અપેક્ષા છે કે જો વંદે ભારત ટ્રેન ઉપલબ્ધ થશે તો તમામ શ્રેણીના મુસાફરોને તેનો લાભ મળશે. તમામ રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી છે. હવે વધુ રૂટ પર વંદે ભારત શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેથી વધુને વધુ શહેરો આ ટ્રેનો સાથે જોડાઈ શકે અને લાખો રેલવે મુસાફરોને ફાયદો થઈ શકે. કુલ 33 ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જે હાલમાં દેશભરના વિવિધ શહેરો અને રાજ્યો વચ્ચે દોડી રહી છે. એક અહેવાલ મુજબ, વારાણસી-લખનૌ, પટના-જલપાઈગુડી, મડગાંવ-મેંગલોર, દિલ્હી-અમૃતસર, ઈન્દોર-સુરત, મુંબઈ-કોલ્હાપુર, મુંબઈ-જલાના, પુણે-વડોદરા, ટાટાનગર-વારાણસી વચ્ચે દોડી શકે છે. વારાણસી અને નવી દિલ્હી વચ્ચે પીએમ મોદી આ જ રૂટ પર બીજી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકે છે. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન હશે.વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *