ગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના સત્રાંત દિવસ ઉજવણી

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઈતિહાસ અને સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિભાગનો સત્રાંત દિવસની ઉજવણી તારીખ 18 એપ્રિલ 2024 ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ.હર્ષદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય આશીર્વચનમાં કુલપતિ શ્રી ડૉ.હર્ષદભાઈ પટેલએ વિદ્યાર્થીઓને ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ સાથે મેળવેલ ગૂજરાત વિદ્યાપીઠના વારસાને સમાજમાં જીવંત રાખવા સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું. અને તેમણે ગૂજરાત વિદ્યાપીઠ માંથી મેળવેલ જ્ઞાનને સમાજ ઉપયોગી કરવા સતત પ્રયત્નશીલ રહેવા તથા દેશના વિકાસમાં પોતાનું સવિશેષ યોગદાન ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણ અને જીવન ઘડતરની તાલીમ દ્વારા નિમિત બનવા અને તત્પર રહેવા ખાસ ભાર મુક્યો. તેમણે વિદાય લેતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રગતી કરે તેના માટે શુભેચ્છાઓ પાઠવી. સ્વાગત પરિચય ડીન શ્રી ડૉ.કનૈયાલાલ નાયકે કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ત્રણ વર્ષ અને બે વર્ષ દરમ્યાનના અનુભવો રજુ કર્યા હતા. ત્રણેય વિભાગના વાર્ષિક અહેવાલો રજુ કરવામાં આવ્યા હતા. ડૉ.મહેશ ગામીતએ શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર દર્શન ડૉ.હસમુખ દેસાઈએ કર્યું હતું. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમ રસ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.નરેશ ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ.મોતી દેવુંએ કર્યું હતું

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x