ગાંધીનગર

ગાંધીનગરમાં રાજપૂત સમાજ દ્ધારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજના સૌ ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે સને- ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ઉત્તીર્ણ થયેલા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર રાજપૂત ભાઈઓ- બહેનોને સન્માનવાનો કાર્યક્રમ તારીખ : ૧૧-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરે ૨.૦૦ કલાકે રાખવામાં આવે છે. આ માટે ધોરણ : ૧ થી ૮ (૮૫% થી વધુ માર્કસ) અને ધોરણ : ૯ થી ૧૨ (૭૫% થી વધુ માર્કસ) મેળવનાર તથા ઉચ્ચ અભ્યાસક્રમની છેલ્લા સેમેસ્ટરની વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ તા.૨૫-૦૭-૨૦૨૪ સુધીમાં શ્રી રાજપૂત સમાજ ભવન, સે-૧૨, ગાંધીનગર ખાતે પહેચાડવા શ્રી રાજપૂત સમાજ તથા ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ ના પ્રમુખશ્રી ઓ પ્રવિણસિંહ ડાભી અને રતનસિંહ વાઘેલા દ્વારા વિનંતી કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x