અમદાવાદ પ્લેન દુર્ઘટના: મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાશે, ઘાયલોની સ્થિતિ સ્થિર
અમદાવાદ: અમદાવાદમાં બનેલી કરુણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, મૃતદેહોની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા DNA સેમ્પલ લેવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવન ખાતે આ DNA સેમ્પલ આપી શકાશે. મૃતકના નજીકના સગાંઓ, જેમ કે માતા-પિતા અથવા બાળકો, DNA સેમ્પલ આપી શકશે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ સગાં-સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે સેમ્પલ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં ૫૦ જેટલા ઇજાગ્રસ્તોની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. રાહતની વાત એ છે કે, તમામ દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બે ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
6357373831
6357373841