સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન, ખેડૂતો ખુશ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ મેઘરાજાની કૃપા વરસી રહી છે. ગતરોજ, ૨૭ જૂનના રોજ, રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં અનેક સ્થળોએ હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો હતો.
આજે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવ તથા દમણમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ વરસાદથી ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.