ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય: સોસાયટી-એસોસિયેશનને સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦% માફી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય કર્યો છે. હવે સોસાયટીઓ, એસોસિયેશનો અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો દ્વારા એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટથી થતી તબદીલી (ટ્રાન્સફર) માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા સુધીની માફી અપાશે. આ કિસ્સાઓમાં માત્ર ૨૦ ટકા જેટલી ડ્યુટી જ વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે આ છૂટછાટ અપાશે. મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અભિગમથી મધ્યમ વર્ગના લોકો પર આવા તબદીલીના કિસ્સાઓમાં આવતો નાણાકીય બોજ ઘણો હળવો થશે. આ નિર્ણયથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા પણ નાગરિકો પર કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં, જે એક મોટી રાહત સમાન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *