ahemdabadગુજરાત

RTE પ્રવેશ મેળવતા બાળકો સાથે ભેદભાવનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો, કોંગ્રેસે સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ મેળવતા બાળકો સાથે શાળાઓ દ્વારા થતા ભેદભાવનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળે માહિતી આપી હતી.

ખેડાવાલાએ આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ શહેર અને જિલ્લામાં RTE પ્રવેશના બાળકોને અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવામાં આવે છે, તેમને રમત-ગમતના સાધનો વાપરવા દેવામાં આવતા નથી, અને તેમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે. તેમણે સરકારને આ અંગે મળેલ ફરિયાદો અને લેવાયેલા પગલાં વિશે પૂછ્યું હતું. સરકારે તેના જવાબમાં જણાવ્યું કે અમદાવાદ શહેરની ૪ શાળાઓ સામે આ પ્રકારની ફરિયાદ મળી છે અને તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

જોકે, ખેડાવાલાએ સરકારના આ જવાબ સામે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારે માત્ર નોટિસ આપી છે અને કોઈ દંડાત્મક પગલાં લીધા નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ઘટનાઓને કારણે ઘણા બાળકો શાળા છોડી રહ્યા છે, જે તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે. તેમણે સરકારને આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *