ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના પેન્શનરોને ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરવા અનુરોધ

પેન્શન ચુકવણા કચેરી દ્વારા ગાંધીનગર ખાતે આઈ.આર.એલ.એ સ્કીમ હેઠળ પેન્શન/કુટુંબ પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને જણાવવાનું કે, તમામ પેન્શનરશ્રીઓએ વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં તેઓ જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં રૂબરુ જઈને કરાવી શક્શે તથા પોતાનુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર પણ બેન્કમાંથી મેળવી શકશે.
વધુમાં પેન્શનર પોતાની હયાતીની ખરાઈ ઘરે બેઠા કરાવી શકે તેમજ વૃદ્ધ અને અશક્ત પેન્શનરશ્રીઓને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરવા માટેની સુવિધા આપવા માટે સરકારશ્રી દ્વારા પોસ્ટલ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવેલ છે જેનો વધુમાં વધુ લાભ લેવા પેન્શનરશ્રીઓને અનુરોધ કરવામાં આવે છે. જેઓ ૩૧ જુલાઈ સુધીમા હયાતી નહિ કરાવે તેઓનું પેન્શન ઓગષ્ટ માસથી સ્થગિત કરવામાં આવશે. જેની ગાંધીનગર જિલ્લાના તમામ પેન્શનરશ્રીઓએ નોંધ લેવા શ્રેયાન તિજોરી અધિકારી(પેન્શન), પેન્શન ચુકવણા કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *