ગાંધીનગર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
ગાંધીનગર જિલ્લાના નાગરિકો તેમજ વાલીશ્રીઓ જેવો જવાહર નવોદય વિદ્યાલયમાં પોતાના પાલ્યને ભણાવવા ઈચ્છુક હોય તેમને જણાવવામાં આવે છે કે, આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માં પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, ગાંધીનગરમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પસંદગી પરીક્ષા તારીખ ૨૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જે બાળક ગાંધીનગર જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર માન્યતા પ્રાપ્ત શાળામાં વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ-૫ માં અભ્યાસ કરતો હોય, તેવા યોગ્ય વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આથી, તમામ રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને અંતિમ તારીખની રાહ જોયા વિના સમયસર સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવા પ્રાચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવે છે.

