ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ, માણસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કેપિટલ દર્પણ / માણસા : શારદે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ, માણસા ખાતે પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિતભાઈ તીરગર, મહામંત્રી શ્રી કાંતિભાઈ તીરગર, ખજાનચી શ્રીમતી નીલુબેન તીરગર તેમજ ટ્રસ્ટના સભ્યો શ્રીમતી શારદાબેન અને શ્રીમતી ઝવેરબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ આનંદ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સ્નેહલબેન ગોસ્વામીએ કર્યું હતું. “સેવ ધ ટ્રી” અભિયાન અંતર્ગત શુભાંગીબેન પવારે વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાળવવામાં તેમની ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજાબેન ગોસ્વામી, નેહલબેન પરમાર, બૃંદા દવે, ગાયત્રીબેન, ચેતનાબેન ઠાકોર, શોભનાબેન સહિત તમામ શિક્ષકો અને સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંતમાં આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બનેલા તમામ મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીમિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

