આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કુલ 2815 કેસ નોંધાયા. જાણો કેટલા નોંધાયા મોત.

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાની મહામારી ધીમે ધીમે વધી રહી છે. કોરોના કેસના મામલે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે પહોંચી ચૂક્યું છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 191 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 2815 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 127 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 265 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 1821
રાજકોટ – 41
સુરત – 462
વડોદરા – 223
ભાવનગર – 34
કચ્છ – 06
મહેસાણા – 07
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 15
પાટણ – 15
છોટાઉદેપુર – 11
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 36
દાહોદ – 04
ભરૂચ – 29
બનાસકાંઠા – 16
ગાંધીનગર – 19
ખેડા – 05
બોટાદ – 12
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 09
નવસારી – 01
તાપી – 01
વલસાડ – 05

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x