ગાંધીનગરગુજરાત

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા કથળી : ધોરણ-10ની પરિક્ષાનું 60.64 ટકા પરિણામ, ગત વર્ષ કરતા 6 ટકા ઓછું

ગાંધીનગર :

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. 931 કેન્દ્રો ઉપર લેવાયેલી પરીક્ષામાં 8 લાખ 04 હજાર 268 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 792942 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જેમાં 480845 નિયમિત વિદ્યાર્થીઓ પરિણામને પાત્ર બન્યા છે. રાજ્યનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે 56.53 % પરિણામ વિદ્યાર્થીઓનું છે જ્યારે 60.02 ટકા પરિણામ વિદ્યાર્થિનીઓનું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 74.66 % આવ્યું છે. સુરત જીલ્લો ગત વર્ષે પણ પ્રથમ હતો. તો સૌથી ઓછું પરિણામ દાહોદ જીલ્લાનું 47.47 % આવ્યું છે. જે ગત વર્ષે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના સપરેડા કેન્દ્રનું 94.78 % આવ્યું છે. જે ગત વર્ષે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં દાહોદ જિલ્લાના રૂવાબારીનું 14.09 ટકા આવ્યું છે. જે ગત વર્ષે ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું હતું.
આજે જાહેર થયેલા પરિણામમાં એ વન ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. ચાલુ વર્ષે માત્ર 1671 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં પાસ થયા છે. જે ગત વર્ષે 4974 હતા. ત્યારે 3303 જેટલા વિધાર્થીઓનો જેટલા વિધાર્થીઓનો A-1 ગ્રેડમાં ઘટાડો થયો છે બીજી તરફ A-2 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી છે. ગત વર્ષે 32375 વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 23754 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં આવ્યા છે. જ્યારે 58128 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 105971 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ, 159108 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 118230 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 13977 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યા છે.

રાજ્યમાં શિક્ષણ સુધારણાની વાતો કરવામાં આવી રહી રહી છે પરંતુ તે પરિણામમાં જોવા મળતું નથી. આજે જાહેર થયેલા પરિણામમાં 0 % કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે આજે જાહેર થયેલા પરિણામમાં 174 શાળાઓ એવી છે. જેનું પરિણામ 0 % ઓછું આવ્યું છે જે સંખ્યા ગત વર્ષે 63 હતી.
આજે જાહેર થયેલા પરિણામમાં ચોરીના કેસની સંખ્યામાં ગત વર્ષ કરતાં સામાન્ય વધારો જોવા મળે છે ગત વર્ષે 119 વિદ્યાર્થીઓ ચોરીમાં પકડાયા હતા જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં માત્ર 124 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હોય તેવું જણાવાયું છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી એમ. એમ. પઠાણે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ગુણપત્રક મેળવવા પડાપડી કરે નહીં આજે કોઈ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે ગુણપત્રક મળશે નહીં. આગામી સમયમાં વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ આપવાની વ્યવસ્થા કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x