ગાંધીનગર

પાટનગરમાં કોરોનાના કેસ ઘટ્યા, બે દિવસમાં બે લોકો સંક્રમિત

ગાંધીનગર :

કોરોનાના કેસોમાં ધીરેધીરે ઘટાડો જોવા મળે છે. મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં માત્ર એક-એક જ કેસ નોંધાય રહ્યા છે તો જિલ્લાના ગ્રામ્યમાં ગઈકાલે ૧૨ કેસ હતા જ્યારે આજે ચાર કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના વળતા પાણી શરૂ થયા છે. જેને લઈ સરકારે પણ રાહતનો દમ લીધો છે. પાટનગરમાં સે-૧૯ અને ૨૮માં કોરોનાનો એક-એક કેસ આવ્યો છે. જ્યારે જિલ્લામાં દહેગામમાં ૩ અને માણસામાં એક કેસ છે. દહેગામમાં બે કિશોરીઓ સપડાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x