રમતગમત

ઈજાના કારણે હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી થયો બહાર

ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મળેલી જાણકારી અનુસાર, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવશે.

આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પુનર્વસન માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો. ICCએ હાર્દિકને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે.

 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે ભારતની મેચ થશે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *