નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા
રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. તલાટીના 3014 અને 998 જુનિયર ક્લાર્કના ઉમેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી.