આજે અંબાજીથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્યમંત્રી પટેલ કરાવશે પ્રારંભ
આજે અંબાજીથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલ અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે અને સાથે સાથે પીએમ મોદી ઝારખંડમાંથી આ યાત્રા શરૂ કરાવશે. જનજાતીય ગૌરવ દિવસ 15મી નવેમ્બરને બુધવારથી ભારત સરકાર દ્વારા દેશમાં અનૂસુચિત જનજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું આયોજન કરાયુ છે. આ યાત્રા દરમિયાન લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય 8 જિલ્લાઓમાં રથ ફરશે. એક રથ એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં ફરશે.
આ યાત્રાનો રથ રાજ્યમાં બનાસકાંઠા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ અને ભરૂચ એમ કુલ આઠ જિલ્લાઓમાં 22મી ડિસેમ્બર સુધી 19 જેટલા રથો મારફતે વડાપ્રધાન મોદી સરકારની નવ વર્ષની કામગીરીનો હિસાબ અને રથ પરથી જ LED અને પોસ્ટર મારફતે 17 પ્રકારની યોજનાઓની માહિતી રજૂ આપવામાં આવશે. રથના પ્રારંભ દરમિયાન જે તે ગામમાં ગ્રામસભા યોજવામાં આવશે. 22 ડિસેમ્બર બાદ 20મી જાન્યુઆરી- 2024થી અગાઉના 19 રથમાં બીજા 110 રથોનો ઉમેરો કરીને બાકીના વિસ્તારોમાં તેમનું ભ્રમણ કરાવવામાં આવશે. લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ભારત સરકાર દ્વારા 9 વર્ષની કામગીરીનો રિપોર્ટ સાથે યાત્રાનું આયોજન થયુ છે.